Pages

બુધવાર, 25 મે, 2011

આશરો, દ્રઢ આશરો અને અતિદ્રઢ આશરો કોને કહેવાય?


આશરો, દ્રઢ આશરો અને અતિદ્રઢ આશરો કોને કહેવાય?
ઊત્તર :આશરો : કંઠી, તિલક ચાંદલો ધારણ કરીએ ને મંદિરે જવું. તેને આશરો કહેવાય. (સ્વામિનારાયણના આશ્રિત)
દ્રઢ આશરો : અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ સિવાય બીજો કોઇ ભગવાન જ નથી. તેમ સમજવું તે દ્રઢ આશરો કહેવાય. (સંપૂર્ણ કર્તાપણું, પતિવ્રતાની ભકિત વગેરે)
અતિદ્રઢ આશરો : સ્વામિનારાયણ ભગવાન તો અક્ષરધામમાં છે. અહીં નહીં ને અક્ષરધામ પણ આકાશમાં અધ્‍ધર છે આવું લોકો સમજતા હતા. પરંતુ એવું નથી. દ્રઢ આશરો જે કરવાનો કહ્યો તે સ્વરૂપ કંઇ અધ્‍ધર આકાશમાં નથી. પરંતુ એ વખતે જે મનુષ્યરૂપે દેખાતા હતા, અને અત્યારે જે પ્રતિમા સ્વરૂપે દેખાય છે તેને વિષે કરવાનો છે. એટલે કે અક્ષરધામ, અનંતમુકતો, ઐશ્વર્ય, સામાર્થી, લાવણ્યતા બધું જ આ મૂર્તિમાં જ છે. તેમ સમજવું તેનું નામ અતિ દ્રઢ આશરો. આ અક્ષરધામની જ મૂર્તિ છે. આ મૂર્તિ ભેળુ અક્ષરધામ છે જ. હવે અધ્‍ધર કે કયાંય દૂર જોવાની જરૂર નથી.

ટિપ્પણીઓ નથી: